• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ભુજમાં PM મોદીનો પાકિસ્તાન પર આકરો પ્રહાર : કહ્યું, ‘ભારત સામે આંખ ઊંચી કરી તો ખેર નથી’

ભુજમાં PM મોદીનો પાકિસ્તાન પર આકરો પ્રહાર : કહ્યું, ‘ભારત સામે આંખ ઊંચી કરી તો ખેર નથી’

09:48 PM May 26, 2025 Gujju News Channel Share on WhatsApp

વડાપ્રધાનએ કહ્યું કે આતંકવાદ સામે અમારી નીતિ શૂન્ય સહિષ્ણુતાની છે. ઓપરેશન સિંદૂરએ આ નીતિને વધુ સ્પષ્ટ કરી દીધી છે. જે કોઈ ભારતીયોનું લોહી વહેવડાવવાનો પ્રયાસ કરશે તેને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવશે.



PM Modi At Bhuj Gujarat After Pakistan War : વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભુજમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યાં મંચ પર ભુજની અનેક વૃદ્ધ મહિલાઓએ પીએમ મોદીને આશિર્વાદ આપ્યા અને પીએમ મોદીએ માથુ નમાવીને તેમના આશિર્વાદ લીધા. પીએમ મોદીએ કહ્યું કે, કચ્છ સાથે મારો જૂનો સંબંધ છે. કચ્છના લોકો, અહીંના લોકોનો આત્મવિશ્વાસ અછતો વચ્ચે પણ આત્મવિશ્વાસથી ભરેલો છે. આ લોકો હંમેશા મારા જીવનને દિશા આપતા રહ્યા છે. જે લોકો જૂની પેઢીના લોકો છે, તેઓ જાણે છે, વર્તમાનની પેઢીને કદાચ તેનો ખ્યાલ નથી, આજે તો અહીંનું જીવન ખુબ જ સરળ બની ગયું છે પરંતુ તે સમયની સ્થિતિ કંઈક અલગ હતી.


► પીએમ મોદીનો પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર


પીએમ મોદીએ કહ્યું કે પાણી માટે કચ્છ સદીઓ સુધી તરસ્યુ, મા નર્મદાએ આપણા પર કૃપા વરસાવી અને મારૂં સૌભાગ્ય છે કે સુકા પ્રદેશમાં પાણી પહોંચાડવા માટેના કામમાં હું નિમિત્ત બન્યો. તેમણે કહ્યું કે, જ્યારે અહીં ભૂકંપ આવ્યો ત્યારે દુનિયાને લાગ્યું કે અહીં બધુ જ સમાપ્ત થઈ ગયું, હવે અહીં કંઈ નહીં થાય. તે ભૂકંપમાં કચ્છ મોતની ચાદર ઓઢી લીધી હતી. પરંતુ મેં ક્યારેય મારો વિશ્વાસ ડગમગાવ્યો નહીં. મારો વિશ્વાસ કચ્છના ખમીર પર હતો. મને વિશ્વાસ હતો કે કચ્છ આ સંકટને હરાવશે, મારૂં કચ્છ ઊભુ થઈ જશે અને તમે બધાએ બિલકુલ એવું જ કર્યું. આજે કચ્છ વેપાર, બિઝનેસ અને ટૂરિઝમનું મોટું સેન્ટર છે. આવનારા સમયમાં કચ્છની આ ભૂમિકા વધુ મોટી થવાની છે.


► કચ્છને લઈ શું બોલ્યા પીએમ મોદી?


તેમણે કહ્યું કે, જયારે પણ હું કચ્છના વિકાસને ગતિ આપવા માટે આવું છે તો મને લાગે છે કે હવે કંઈક કરીશ, કંઈક નવું કરીશ અને મારૂ મન રોકાતું જ નથી. આજે અહીં વિકાસ સાથે જોડાયેલા 50 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. એક સમય હતો જ્યારે આખા ગુજરાતમાં 50 હજાર કરોડની યોજનાઓ સાંભળવા પણ મળતી ન હતી. આજે એક જિલ્લામાં 50 હજાર કરોડ રૂપિયાનું કામ થઈ રહ્યું છે. આપણું કચ્છ હરિત ઊર્જાનું દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજન એક નવા પ્રકારનું ઇંધણ છે. આવનારા સમયમાં કાર, બસ, સ્ટ્રીટ લાઇટ્સ, આ તમામ ગ્રીન હાઇડ્રોજનથી ચાલશે. કંડલા દેશના ત્રણ ગ્રીન હાઇડ્રોજનમાંથી એક છે.


► પાકિસ્તાન ટેરરિઝ્મને જ ટૂરિઝમ માને છે: મોદી


પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમારી સરકારનો પ્રયાસ છે કે, તમને પર્યાપ્ત વીજળી પણ મળે અને વીજળીનું બિલ પણ ઝીરો હોય. માટે અમે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે. ગુજરાતના લાખો પરિવાર આ યોજના સાથે જોડાઇ ગયા છે. દેશના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળે. તે ભાજપ સરકારની પ્રાથમિક્તા છે. ટૂરિઝમ એક એવું સેક્ટર છે, જેમાં મોટી સંખ્યામાં રોજગાર છે. આવનારા સમયમાં અહીંનું પર્યટણ વધુ વિસ્તરશે. સી-ફૂડથી લઈને ટૂરિઝમ અને ટ્રેડ સુધી… કોસ્ટલ રિઝનમાં દેશ એક નવા ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યો છે. ભારત ટૂરિઝમ પર વિશ્વાસ રાખે છે, ટૂરિઝમ લોકોને જોડે છે. પરંતુ પાકિસ્તાન જેવો દેશ પણ છે, જે ટેરેરિઝમને ટૂરિઝમ માને છે અને તે દુનિયા માટે સૌથી મોટો ખતરો છે.


► ‘ભારત પર આંખ ઉઠાવનારાઓને છોડવામાં નહીં આવે’


વડાપ્રધાનએ કહ્યું કે આતંકવાદ સામે અમારી નીતિ શૂન્ય સહિષ્ણુતાની છે. ઓપરેશન સિંદૂરએ આ નીતિને વધુ સ્પષ્ટ કરી દીધી છે. જે કોઈ ભારતીયોનું લોહી વહેવડાવવાનો પ્રયાસ કરશે તેને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. જે કોઈ ભારત પર નજર બગાડશે તેને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે. ઓપરેશન સિંદૂર માનવતાનું રક્ષણ અને આતંકવાદનો અંત લાવવાનું મિશન છે. તેમણે વધુમાં કહ્યું કે મેં બિહારમાં એક જાહેર સભામાં ગર્વથી જાહેરાત કરી હતી કે હું આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરીશ. અમે 15 દિવસ સુધી પાકિસ્તાન આતંકવાદ સામે કોઈ કાર્યવાહી કરે તેની રાહ જોઈ, પરંતુ કદાચ આતંકવાદ તેમની આજીવિકા છે. જ્યારે તેણે કંઈ ન કર્યું, ત્યારે મેં ફરીથી દેશની સેનાને છૂટ આપી.


► પીએમ મોદીનો પાકિસ્તાન પર જોરદાર પ્રહાર


તેમણે કહ્યું કે ભારતનું લક્ષ્ય આતંકવાદનું મુખ્ય મથક હતું, અમે તેમના પર ચોકસાઈથી હુમલો કર્યો. આ બતાવે છે કે આપણી સેના કેટલી સક્ષમ અને શિસ્તબદ્ધ છે. ભારતની લડાઈ સરહદ પારથી વધી રહેલા આતંકવાદ સામે છે. અમે તે લોકોના દુશ્મન છીએ જેઓ આ આતંકવાદને પોષી રહ્યા છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે પાકિસ્તાનના નાગરિકો અને ખાસ કરીને ત્યાંના બાળકો… મોદી શું કહે છે તે ધ્યાનથી સાંભળો… તમારી સરકાર અને તમારી સેના આતંકવાદને સમર્થન આપી રહી છે. આતંકવાદ પાકિસ્તાનની સરકાર અને સેના માટે પૈસા કમાવવાનું સાધન બની ગયું છે. હવે પાકિસ્તાનના યુવાનોએ નક્કી કરવું પડશે, બાળકોએ નક્કી કરવું પડશે કે શું આ રસ્તો તેમના માટે યોગ્ય છે? શું તે તેમનું કોઈ ભલું કરી રહ્યું છે? આ તમારા ભવિષ્યને બરબાદ કરી રહ્યું છે. પાકિસ્તાનના લોકોએ પાકિસ્તાનને આતંકવાદના રોગથી મુક્ત કરવા માટે આગળ આવવું પડશે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - PM Modi At Bhuj Gujarat After Pakistan War



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us